ભારત સરકારના બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯
અને ગુજરાત શૈક્ષણિક કાયદા (સુધારા) અધિનિયમ-૨૦૧૦ અન્વયે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ
ધોરણ ૧ થી ૭ ને બદલે હવે પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૮ જેમાં ધોરણ ૧ થી ૫ પ્રાથમિક શિક્ષણ
અને ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ગણાશે, તેમ ઠરાવેલ છે.
ઉપર્યુક્ત ફેરફારને કારણે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર
અધિનિયમ-૨૦૦૯ કલમ-૧૯ અને ૨૫ ના શિડ્યુલમાં નિયત થયેલ ધોરણ અને લાયકાતો તથા નેશનલ કાઉન્સીલ
ફોર ટીચર એજ્યુકેશન નવી દિલ્હી જાહેરનામાં ક્રમાંક: ફા.ન.61/03/20/2010 એન.સી.ટી.ઈ.
(એન.એન્ડ.એસ) તા.૨૩-૮-૧૦ અન્વયે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માટે લઘુત્તમ લાયકાતો
નક્કી કરવામાં આવેલ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ-૫૪ અને ૬૩ થી પ્રાપ્ત
થયેલ સત્તાની રુએ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની
પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારની પસંદગી
માટેના ધોરણો પુખ્ત વિચારણાને અંતે શિક્ષણ વિભાગના તા.૨૭-૪-૨૦૧૧ ના ઠરાવથી નિયત કરેલ
છે.
|